Pages

Saturday, June 27, 2020

"ચિંતા નહીં પણ ચિંતન" : લોકડાઉનના દિવસો ત્યારે ને અત્યારે


નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 27-06-2020 ના રોજ પ્રકાશિત.

આ મહામારી ના શરૂઆતી દિવસો માં બધા જ મિત્રો સગા સંબઘીઓ ને ફોન કર્યા, ખબર અંતર પૂછ્યા. બધા માટે આ એક અલગ જ અનુભવ હતો ઘર માં પુરાઈ રહેવાનો. જિંદગી માં પહેલી વાર બધા ને ઘરમાં હોવા છતાં માચીસ ની ડબ્બી માં પુરાઈ ગયા હોવાની લાગણી થઇ આવતી હતી. પહેલા 21 દિવસ તો બધા ને વેકેશન મળી ગયું હોય એમ ખુશ હતાં. પણ પછી આ કહેવાતું વેકેશન જેમ જેમ લંબાતું ગયું તેમ તેમ બધા ઘર માં કંટાળ્યા. આમ તો આપણે બધા રજાઓ માં 7 થી 10 દિવસ ની રજાઓ લઇ ને પહાડો પર, દરિયા કાંઠે કે વિદેશ ફરવા ગયેલા જ છીએ. રજાઓ કઈ પહેલી વાર નહોતી મળી કે જેમાં આપણે એકાંત માં સમય નીકાળ્યો હોય. પણ એ રજાઓ અને આ રજા ની પરિસ્થિતિ અલગ હતી. ફરવા જવા વાળી રજાઓ માં પવન માં મુક્ત ઉડવા વાળા પંખી ની લાગણી હતી જયારે આમાં તો પીંજારા માં પંખી તરફડતું હોય એવી લાગણી થવા લાગી હતી. આટલા વર્ષો માં પ્રથમ વાર એવો મોકો મળ્યો હતો કે જેમાં વિચારવાનો સમય મળ્યો કે એવું તો શું અલગ છે અત્યારની આ જિંદગી માં? એવું તો શું નવું છે આ ફરજીયાત મળેલી રાજાઓ માં?

બધું જ બંધ. ઘર, ઓફિસ, દુકાન, મોલ, રસ્તાઓ, સાલી જિંદગી જ લોક થઇ ગઈ. લાગ્યું કે પૈસા છે પણ ખર્ચ ક્યાં કરવા એ નથી ખબર? આ લોકડાઉન માં ફક્ત મગજ માં આવતા વિચારો જ સ્વતંત્ર હતા. બાકી બધે જ મસ મોટા તાળા. જે કરી શકાય એમ હતું તે ફફ્ત વિચાર જ હતા એટલે વિચાર્યું જેવી ઈશ્વર ની મરજી. એટલે સોશ્યિલ મીડિયા ઉપર મેસેજ, ટવીટર નું એકાઉન્ટ જે વર્ષો થી વાપર્યું નહોતું તે પણ ચાલુ કર્યું અને મિત્રો ને મેસેજ મોકલવાનું ચાલુ કર્યું, વિચાર્યું ચાલો આ બહાને એક બીજા જોડે વાત તો થશે. કદાચ બધા જોડે આ થયું જ હશે. તમે પણ આવુ જ કઈંક કર્યું  હશે. આ કરી લીધા પછી જેમ જેમ વિચારો આવતા ગયા તો ખબર પડી કે જિંદગી ખાલી પૈસા, પ્રમોશન, એટીએમ ના કાર્ડ કે પાસવર્ડ માત્ર નથી, આ બધા થી પણ આગળ એક જિંદગી છે જે આજ સુધી આપણે જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. પહેલા કોઈ પાસે સમય નહોતો, પણ હવે સમજાયું કે સમસ્યા સમય ની નહોતી 24 કલાક પહેલા પણ હતા આજે પણ છે. આટલા વર્ષો માં કેટલા 24 કલાકો આવ્યા અને ગયા.

જરૂરિયાત, એશોઆરામ અને વૈભવ વિલાસ નો તફાવત હવે સમજાયો, હવે જ્ઞાન મળ્યું કે સ્વચ્છ કપડાં હશે તો ચાલશે જ બ્રાન્ડેડ કપડાં ની જરૂર ખરી? જમવા માં શાક રોટલી હશે તો ચાલશે જ પિત્ઝા કે હોટેલ હવે તો જરૂરિયાત નહિ પણ એશોઆરામ હતા અને ફાઈવસ્ટાર હોટેલો માં જવું એ તો વિલાસ ની શ્રેણી માં જ હતું એ ખબર પડી. એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે વિચાર કરશો તો  ખબર પડશે કે જરૂરિયાત, એશોઆરામ અને વિલાસ માંથી આપણા માટે શું જરૂરી છે. આવા કટોકટી ના સમય માં ફક્ત જરૂરિયાતો પુરી કરવા સિવાય બીજી કોઈ બાબત પર ધ્યાન ગયું હોય તો કહેજો. કિરાણા ની દુકાન માં બધું જ મળી ગયું જે જરૂરી હતું, ખબર નહિ દર રવિવારે મોલ માં જઈ ને મારી જરૂરિયાતો પુરી થતી હતી કે એશોઆરામ કે ડંફાસો મારવા માટે મિત્રો સગાઓ આગળ કે અમારે તો મોલ માં ગયા વગર ચાલે જ નહિ. જરૂરિયાતો ની વસ્તુ ઓ મોલ માં ખરીદતા ખરીદતા ક્યારે એશોઆરામ ની વસ્તુઓ ઘર માં આવી જતી હતી ખબર જ નહોતી પડતી. ખોટા દેખાડા કરવાની આદતો પડી ગઈ હતી એ આ ફરજીયાત આવેલી રજાઓ એ શીખવ્યું.

ફરજીયાત રજાઓ માં ગરીબો માટે બે ટેંક નું ભોજન કઈ રીતે મેળવવું એજ એક માત્ર વિચાર હશે. આ સમય એ લોકો માટે બહુ જ કપરો હશે. આપણે ટીવી ઉપર જોયું જ હશે ચાલતા ઘરે જતા મજૂરો, વૃક્ષો ના પાંદડા ખાઈ ને દિવસ ટૂંકો કરતા ગરીબો. આ સમય ઉદારતા અને સહાનુભૂતિ દર્શાવવાનો હતો. કેટલાક ફિલ્મના કલાકારો એ આ ઉમદા વિચાર ઉપર કામ પણ કર્યું. ફિલ્મ ના પરદા ઉપર વિલન નો રોલ કરતા સોનુ સુદ જીવનના અભિનય માં હીરો જેવું કામ કરી ગયા. હજારો લોકો ને ઘરે પહોંચવા માટે બસ ભાડા ની મદદ કરી. અહીં બેઠા બેઠા તમને નમન.

હેન્ડ વોશ ની બાટલી પૂરી થઇ ગઈ છે હાથ વારે ઘડીએ ધોઈ ધોઈ ને. આટલા વર્ષો મોં ને ફેસવોશ થી રગડી રગડી ને ધો ધો કર્યું છે, શું કામ? ખબર નથી. આજે એ બિચારું ફેસવોશ એમને એમ પડ્યું છે.  એને હેન્ડ વોશ ની ઈર્ષ્યા આવતી હશે ! વાળ 15 દિવસે તો કપાવવા જ પડે પણ આજે  2 મહિના માં વધી ગયેલા વળી ગયેલા વાળ ખરાબ નથી લાગતાં. 

આ સમય ખરાબ છે એવું લાગે છે પણ શું ખરેખર એવું સાચે છે? કેટલું બધું વિચારવાનો મોકો આપ્યો આ ફરજીયાત રજાઓ એ. ઘણા લોકો એ કામની વ્યસ્તતા ના કારણે પોતાના શોખ વર્ષો થી મન માં દબાવી રાખ્યા હશે. કઈ કેટલુંય કરવા ની તમન્નાઓ ને મન ના એકાદ ખૂણા માં દફનાવી દીધી હશે. બધા ને આ રજાઓ એ મોકો આપ્યો છે પોતાના માટે સમય નીકળવા માટે. કંઈક નવું કરવા માટે. કંઈક જે અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માટે. આ સમય આપણા માટે સાચી શિખામણ આપવા, સાચી જિંદગી શું છે સમજવવા આવ્યો હતો એમ નથી લાગતું? આ સમય ચિંતા કરવાનો નહિ પણ ચિંતન કરવાનો હતો એવું લાગે છે તમને? મહત્વની વાત એ છે કે આ સમયે જ આપણ ને સમય નું મહત્વ સમજાવ્યું છે. માટે મિત્રો ને મળો, સગાઓના ખબર અંતર પૂછો, જરૂરિયાત હોય એમને મદદ કરો, કંજુસી નહિ પણ કરકસર કરો, કુટુંબના સભ્યો ને સમય આપો. રાત અંધારી છે પણ સુખ નો સુરજ ઊગશે જ. થોડી સાવધાની રાખો, ઈશ્વર આપણા બધાનું કલ્યાણ કરે.

Saturday, June 20, 2020

નકારાત્મકતા માણસની, નકારાત્મકતા એક દેશ ની...


નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 20-06-2020 ના રોજ પ્રકાશિત.

આજે આખું વિશ્વ કોરોના નામના રોગચાળા સામે લડી રહ્યું છે. ડિસેમ્બર 2019 થી આજ સુધી, સમગ્ર વિશ્વમાં લાખો માણસો આ સંક્રમણ ના કારણે મૃત્યુ પામ્યા છે. આ વાયરસ ભારત સામે ફેલાવવા માટે ચીન દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ હંમેશા ભારત પર એક દૈવી શક્તિનો  આશીર્વાદ રહ્યો છે અને તે આપણને દરેક આપદાઓ થી સુરક્ષિત રાખે છે. આ વાયરસ ભારતમાં ફેલાતા પહેલા ચીનમાં જ ફેલાયો અને તે પછી તે વિશ્વના અન્ય ભાગ માં અને છેવટે ભારતમાં આવ્યો. અન્ય દેશોની તુલનામાં આપણા દેશ માં મૃત્યુ આંક  ઘણો ઓછો છે. 
ચીન એક નાસ્તિક દેશ છે અને તેનો હેતુ હંમેશાં તેની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કરવાનો અને સમગ્ર વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો રહ્યો છે. આધ્યાત્મિક વિજ્ઞાન પ્રમાણે ચીનના વાયુ મંડળ માં નકારાત્મક આત્માઓનું એક મોટું વર્તુળ રચાયું છે અને તે આત્માઓ તેમના મંડળ નો વધુ વિસ્તાર થાય તે માટે વધુને વધુ લોકોના જીવ રહી છે.  કોઈ પણ રોગ સર્વ પ્રથમ મનમાં ઉદ્ભવે છે. ત્યાર બાદ તે કારણ શરીર માં આવે છે અને ત્યાર બાદ સ્થૂળ શરીરમાં પ્રેવેશ કરે છે. અને જો તે રોગથી જો મનુષ્યનું મૃત્યુ થઇ જાય તો તે રોગ સૂક્ષ્મ શરીરમાં રહી જાય છે. અને ત્રિગુણ આત્મા સાથે સૂક્ષ્મ ની યાત્રા કરે છે. 
મૃતક ને અચાનક મૃત્યુને લીધે, સમજાતું નથી કે તેની સાથે આ શું થઇ ગયું ? તે કયા વિશ્વ માં આવી ચડ્યો છે.  આપણી દુનિયા જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તેજ પ્રકારનું એક સૂક્ષ્મ વિશ્વ આપણા વાતાવરણ માં મૃતક આત્માઓ નું છે.  સૂક્ષ્મ જગત ની આત્માઓ પોતાના ધર્મ અને સંપ્રદાય પ્રમાણે મનુષ્યના મૃત્યુ પછી ઉપરી જગત માં જાય છે અને તેમના મંડળમાં જઈ કાર્યરત થઇ જાય છે. મૃતક કર્મ પ્રમાણે અમુક સમય સુધી સૂક્ષ્મ જગત માં રહે છે અને પછી બીજો જન્મ લે છે, અને ત્રિગુણ આત્મા સાથે સૂક્ષ્મ ની યાત્રા કરે છે. પૃથ્વી પર જે ગુરુઓ અને ધાર્મિક સંતો આપણી દુનિયામાં જે રીતે આશ્રમ ચાલવી રહ્યા છે તેજ પ્રમાણે તે ગુરૂ અને સંતો સૂક્ષ્મ જગતમાં પોતપોતાના આશ્રમો ચાલવી રહ્યા છે, અને માણસના મૃત્યુ પછી તેમના મંડળોની આત્માઓને પોતાની સાથે લઇ જાય છે. મૃતકનાં કર્મો પ્રમાણે ગુરુ મૃતક નો સંપર્ક કરી તેને પોતાની સાથે લઇ જાય છે. ધાર્મિક વૃત્તિ ની આત્મા જાતે પોતાના ગુરુ કે સંપ્રાદય ના આશ્રમ માં પહોંચી જાય છે. જો મૃતકે પૃથ્વી પર પાપ કર્મ વધારે કર્યા હોય અને અધર્મ સાથે રહ્યો હોય તો તેની આત્મા ગતિ નથી કરી શકતી અને ઉપરી સૂક્ષ્મ જગતની નકારાત્મક આત્માઓ તેમનો કબ્જો કરી પોતાના મંડળ માં સમાવવાનો પ્રયાસ કરે છે જેથી તેમના વર્તુળને વિસ્તૃત કરી શકે.
(મૃત્યુ પછી શું થાય છે અને આત્માની સૂક્ષ્મ જગત માં શું સ્થિતિ થાય છે, મર્યા પછી આત્મા  કેટલા દિવસ સુધી પોતાના ઘર માં રહે છે, ત્યાં તેને શું અનુભવ થાય છે. આ જન્મમાં જે ગુરુ છે તે જ અગાઉના જન્મના ગુરુ હતાં અને તે પછીના જીવનમાં પણ એજ ગુરુ હશે?  તેમનો આશ્રમ હાલમાં પૃથ્વી પર જે પ્રકારે છે તેના કરતા વધુ સારો ઉપરના સૂક્ષ્મ જગત માં હોય છે? આપણે આ વાતની ચર્ચા પછી ક્યારેક કરીશું.) 
હવે હું મૂળ મુદ્દા પર આવું છું, એ લાખો આત્માઓનું શું થયું હશે જે આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. અચાનક સૂક્ષ્મ જગતમાં પહોંચી ગયા છે તેને કઈ જ ખબર નથી કે તે અહીં શુ કામ અને કઈ રીતે પહોંચી ગયા છે.  એક પ્રકારની નકારાત્મકતા જે આજે આખી દુનિયામાં ફેલાયેલી છે તે ઉપલા વિશ્વના નકારાત્મક આત્માઓને પ્રોત્સાહિત કરે છે અને મૃત લોકોની આત્માને પોતાની તરફ ખેંચે છે અને તેમનું વર્તુળ વધારે છે જેથી વધુને વધુ મૃત્યુ થતાં મૃત આત્મા ને પોતાના મંડળ માં લઇ જઈ ને પોતાનું વર્તુળ મોટું કરે છે. આ પૃથ્વી પરના આપણા ધાર્મિક સંપ્રદાયો તેમના ધર્મ વિસ્તરણ માટે કેવી રીતે યોજના અને કાર્ય કરે છે તદ્દન તેજ પ્રમાણે.
અહીં બીજી બાજુ  મંદિર અને આપણી ધાર્મિક સંસ્થાઓ બંધ છે પૂજા અને યજ્ઞ કાર્ય બંધ છે. તેથી હકારાત્મક ઉર્જા ઉપરના વર્તુળમાં પહોંચી શકતી નથી, અને દેવી-દેવતાઓ પણ હકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચાડી શકતા નથી. આપણા ભારતીય સમાજ અને હિન્દુ ધર્મમાં, સમૂહ પ્રાર્થના અને સમૂહ ધ્યાન કરવાની પ્રથા છે, જેના દ્વારા સૂક્ષ્મ જગતમાં થી જે હકારાત્મક ઉર્જા વહી રહી હોય છે તેને ગ્રહણ કરી શકે. આપણે જે પણ ગુરુ, દેવી દેવતા ને માનતા હોઈએ તેમને યાદ કરતા જ તેમનો સંપર્ક આપણા આત્મા સાથે થાય છે અને તે જ ક્ષણે તેમની હકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે.
 લોકડાઉન દરમિયાન, એક આહવાન થયું હતું કે એક ચોક્કસ સમયે અને ચોક્કસ સમય સુધી આપણે દરેક ઘરમાં લાઇટ્સ બંધ કરીશું અને દિવા પ્રગટ કરીશું, આપણે તે કાર્ય એક ચોક્કસ સમયે અને ચોક્કસ સમય માટે કરવાનું હતું, પરંતુ આપણે મૂળ કર્મ સમજી શક્યા નહીં અને તે સમયે, જે  ઉર્જા આપણને ઉપરના વાતાવરણથી દિવા પ્રગટ કરી ને મળવાની હતી અને જે આપણ ને આ રોગચાળાથી મુક્ત કરી શકે તેમ હતી , તે મેળવી શક્યા નહીં. તે વખતે આપણે એક તહેવાર અથવા એક રાજકીય મિશનની જેમ વર્ત્યા, સમૂહમાં અને નિશ્ચિત સમય માટે જે કર્મ કરવાનું હતું તે કરી શક્યા નહિ. 
હજુ પણ, આપણે આપણા ઘરોમાં રહીને, જે ગુરુ, દેવ, દેવી ને માનતા હોઈએ. જે આપણા ઇષ્ટ હોય તેમને યાદ કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ, તો આપણી આસપાસ જે આ નકારાત્મક ઉર્જા ફેલાયેલી છે તને તોડીને આપણે સકારાત્મક ઉર્જા મેળવી શકીએ તેમ છીએ. અને વિશ્વનું કલ્યાણ કરી શકીએ છીએ. 
હિન્દૂ ધર્મ માં 108 સંખ્યા નું એક મહત્વ છે, ઉપરી સત્તાઓ 9, 108 અને નવ લાખ ના અંક અનુસાર કાર્ય કરે છે. આપણે યોજના બનાવીને ચોક્કસ સમયે અને નિશ્ચિત સંખ્યા સાથે કાર્ય કરવું પડશે. જો તમે દીક્ષિત છો, એટલે કે તમને ગુરુ પાસેથી દીક્ષા મળી છે, તો પછી તમે બધા જ ગુરૂભાઇ બહેનો એક નિશ્ચિત સમય માટે અને ચોક્કસ સંખ્યામાં ગુરુ મંત્ર નાં જાપ કરી શકો છો. જો આપણે આ રોગચાળાના નિવારણ માટે સંકલ્પ લઈશું, તો ગુરુ ની શક્તિ તેના કાર્ય ની શરૂઆત ચોક્કસ કરશે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરશે.
બીજી મહત્વ ની વાત, આપણાંમાં થી ઘણાં અનેક દેવ દેવી ની પૂજા કરતા હોઈએ છીએ. પણ યાદ રાખજો માતા સિવાય કોઈ આપણને વધુ પ્રેમ આપી શકે નહીં. તમારી કુળદેવીને યાદ કરો, તેની પૂજા કરો અને તેમને પ્રાર્થના કરો અને તેમના મંત્ર, સ્તોત્ર અથવા યજ્ઞ કરો. જ્યારે પણ આ દુનિયા પર કોઈ અડચણ અથવા મુશ્કેલી આવી છે, ત્યારે દેવી ભગવતીએ વિવિધ સ્વરૂપો ધારણ કરીને તે અવરોધોથી આપણને મુક્તિ અપાવી છે, આનું વર્ણન દેવી ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. ફક્ત માતા જ આ મહામારીથી બચાવી શકે તેમ છે, અને આપણને સુરક્ષા પ્રદાન કરી શકે છે. માતા પોતે પૃથ્વી પર આવશે અને તે આ રોગચાળાના વાયરસને દૂર કરશે એવો ચમત્કાર નથી થવાનો, પરંતુ તેની સકારાત્મક શક્તિ, ઉર્જા વૈજ્ઞાનિકો ને દવાના સંશોધન માટે પ્રેરણા આપશે . જરા વિચાર કરજો આજ ની તારીખે, જે પણ સંશોધન થયાં છે, તે તમે કલ્પના કરી શકો છો કે કોઈપણ માણસમાં એટલી તાકાત છે કે તે આ પ્રકારના સંશોધનો કરી શકે. આ બધી દૈવી શક્તિ મનુષ્યને પ્રેરણા આપે છે. ગુરુ કુલ દેવતા કુલદેવીની કૃપા વિના આ શક્ય નથી. 
સૂક્ષ્મ જગત ની દૈવી કૃપા પ્રાપ્ત કરવા માટે માળા, મંત્ર ની સંખ્યા અને સમય નિશ્ચિત કરવો ખૂબ જ આવશ્યક છે. આપણો સંકલ્પ સ્પષ્ટ હોવો જોઈએ, તમે કયા કામ માટે આ મંત્ર, માળા, પૂજા અથવા યજ્ઞ કરી રહ્યા છો. આ વિષય પર તમારા સંપર્કમાં રહેલા બધા લોકો સાથે ચર્ચા કરો, એક યોજના બનાવો અને તમારા ઇષ્ટ, ગુરુદેવ, કુલદેવ અને કુલદેવીનો આશીર્વાદ મેળવો અને આખી દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કરો.

Saturday, June 13, 2020

'ગ'થી ગુજરાતી 'ગ'થી ગાય ગણીએ ગુણગાન ગૌ -ઘન ના

'ગ'થી ગુજરાતી
'ગ'થી ગાય 
ગણીએ ગુણગાન ગૌ -ઘન ના 

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 13-06-2020 ના રોજ પ્રકાશિત.

ગાય ના મહત્વ ને આપણે ભૂલી ગયા છીએ.
ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તેના દૂધને અમૃત કહેવામાં આવે છે, જ્યારે ગૌમૂત્ર અને ગોબર પણ પવિત્ર માનવામાં આવે છે. ગાય ના શરીર માં 33 કોટી દેવી દેવતા ઓ નો વાસ માનવામાં આવે છે. સંસ્કૃત માં કોટી નો અર્થ થાય છે પ્રકાર. આપણે કોટી એટલે કરોડ સમજીએ છીએ. આ 33 કોટી આ પ્રમાણે ગણાય - 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, અને 2 અશ્વિની = 33. આજે આપણે પવિત્ર ગાય અને તેના મહત્વની વાત કરવાના છીએ માટે 33 કોટી ની સમજ માં ઊંડા નહિ ઉતરીએ, કોટી નું કરોડ ક્યારે અને કઈ રીતે થયું અને હિંદુઓ પણ કોટી એટલે કરોડ માનવા લાગ્યા તે વિષે અલગ થી ચર્ચા કરીશું।
ભવિષ્ય પુરાણ પ્રમાણે - ગાયની પીઠ ના ભાગ માં બ્રમ્હદેવ, ગળા ના ભાગ માં શ્રી હરિ વિષ્ણુ, ને મુખ માં ભગવાન શિવ નો વાસ છે. બીજા દેવી દેવતા ગૌ માતાના શરીર ના મધ્ય ભાગ માં, તથા દરેક રોમ માં ઋષિ મુનિ અને પૂંછડી મા અનંત નાગ નો  વાસ માનવામાં આવે છે. ગાય ના પગ ની ખુરી માં બધા જ પર્વત, આંખો માં સૂર્ય અને ચંદ્ર નો વાસ છે. ગૌ મૂત્ર માં બધી જ પવિત્ર નદીઓ અને ગૌમય (છાણ) માં લક્ષ્મી નો વાસ છે.  એક ગાય ની પૂજા કરવા માત્ર થી બધા જ દેવી દેવતા ની પૂજા કર્યા નું ફળ આપો-આપ મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નું એક નામ ગોપાળ પણ છે. કૃષ્ણ ને પ્રસન્ન કરવા હોય તો ગૌ પૂજા કરો.
આજે પણ આપણા ગામડાં ઓ માં જ્યારે ખાવાનું રાંધતા હોઈએ છીએ ત્યારે પ્રથમ રોટલી ગાયના નામે બનાવવામાં આવે છે. ગાયની કતલને ધાર્મિક રૂપે બ્રમ્હ હત્યા સમાન માનવામાં આવે છે.
ફક્ત ધાર્મિક દ્રષ્ટિ થી ગાય મહત્વપૂર્ણ છે એવું નથી આર્થિક દ્રષ્ટિ થી પણ ગાય મહત્વપૂર્ણ છે. વિજ્ઞાન પણ આજે ગાય નું મહત્વ સમજે છે.

દૂધ, દહીં, ઘી ની દ્રષ્ટિએ ભેંસ આજે ગાય કરતાં વધુ માત્રા માં ઉત્પાદન કરે છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ, ગાયનાં દૂધ અને ગાયનાં દૂધમાંથી બનેલા ઉત્પાદનો વધુ પૌષ્ટિક અને શક્તિશાળી હોય છે. ગાયનું દૂધ વધુ શક્તિશાળી અને તેમાં ચરબીનું પ્રમાણ ભેંસના દૂધ કરતા ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે ગાય ઓક્સિજન લે છે અને ઓક્સિજન જ છોડે છે. ગૌમૂત્રમાં પણ એવા ઘટકો હાજર હોય છે જે હ્રદયરોગ માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, પોટેશિયમ, સોડિયમ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, યુરિયા, યુરિક એસિડ. ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપ ક્ષમતામાં વધારો થાય છે. આ રીતે, ઘણાં કારણો છે જે ગાયનું વૈજ્ઞાનિક મહત્વ પણ દર્શાવે છે.
આટલી પવિત્ર અને માતા સમાન ગાયને શું સાચે જ આપણે એટલું મહત્વ આપીએ છીએ જેટલું વૈદિક કાળ માં મળતું હતું? ગાય નું મહત્વ હવે કદાચ રાજનીતિ અને મતબેન્ક માટે જ રહી ગયું છે. નહીંતર ગાય આપણે ને આમ રસ્તા માં રખડતી જોવા ના મળતી હોત. ગાય ની કતલ માટે ના કડક કાયદા હોત. આ લેખમાં ગાય નું મહત્વ શું છે એ સમજવવાનો પ્રયત્ન છે એટલે કોઈ જ નકારાત્મ વાત નથી કરવી. ભારત સિવાય ઘણા દેશ છે કે જે ખેતી પ્રધાન છે અને એ દેશો એ ગાય ના મહત્વ ને જાણ્યું છે, ગાય ને સાચવી જાણી છે અને એ થકી એ દેશ આગળ આવ્યા છે.
ઉરુગ્વે એ 33 લાખ ની વસ્તી ધરાવતો દેશ છે જ્યાં લગભગ દરેક વ્યક્તિ દીઠ 4 ગાય છે. અને આજે ખેતી બાબત માં દુનિયા માં પહેલા ક્રમે છે. 33 લાખ ની વસ્તી મનુષ્ય ની અને  જાણી ને આશ્ચર્ય થશે કે ગાય ની સંખ્યા 1 કરોડ 20 લાખ છે. દરેક ગાય ના કાન ઉપર ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલી છે જેથી ખબર પડે કે કઈ ગાય ક્યાં વિસ્તારમા છે. 2005 માં 33 લાખ ની વસ્તી ધરાવતો આ દેશ 90 લાખ લોકો માટે અનાજ પેદા કરતો હતો આજે 2 કરોડ 80 લાખ લોકો માટે અનાજ પેદા કરે છે.

ખેડૂતો અને પશુપાલકો ની વર્ષો ની મહેનત ના કારણે આજે આ દેશ સફળતા મેળવી શક્યો છે. ત્યાંની ખેતી નું ધ્યાન રાખવા માટે કૃષિ ઇજનેરો તૈયાર કરવામાં આવ્યા છે અને આ લોકો ડ્રોન અને સેટેલાઇટ થી ખેતરો પર નજર રાખે છે કે ખેડૂતો એ જે ખેતીની પદ્ધતિ અપનાવી જોઈએ તે પ્રમાણે ખેતી થઇ રહી છે કે નહી,
પરિણામે  ત્યાં ની વસ્તી ના પ્રમાણ માં  "દૂધ, દહીં, ઘી, માખણ" ની સાથો સાથ અનેક ગણું અનાજ નું ઉત્પાદન થાય છે અને આ બધા અનાજ, દૂધ, દહીં, ઘી, માખણ ની નિકાસ થાય છે અને દરેક ખેડૂત લાખોની કમાણી કરે છે. 

આ દેશનું રાષ્ટ્રીય પ્રતીક સૂર્ય છે અને રાષ્ટ્રીય પ્રગતિનું પ્રતીક ગાય અને ઘોડો છે. ઉરુગ્વે માં ગાય ની હત્યા કરવા વાળા માટે તાત્કાલિક મૃત્યુદંડ નો કાયદો છે. ધન્યવાદ છે આ ગાય પ્રેમી દેશ અને તેની જનતા ને. હવે મુખ્ય વાત એ છે કે, આ દેશ માં જે ગૌ ધન છે એ તમામ ગો-ધન ભારતીય છે.  અને તેને "ભારતીય ગાય" તરીકે જ ઓળખવામાં આવે છે. દુઃખ ની વાત છે કે ભારતમાં ગાયની કતલ થાય છે અને ઉરુગ્વેમાં ગાયની કતલ માટે મૃત્યુ દંડની જોગવાઈ છે. આપણે આ ખેતીપ્રધાન દેશ ઉરુગ્વે પાસેથી કંઇક શીખી શકીએ તો સારું.
લેખક :-દિપક પંડ્યા..



Tuesday, June 9, 2020

રામકથા કરનાર મોરારીબાપુ ની નિંદા થાય ત્યારે મૌન રહેનાર નિંદા કરનાર થી પણ વધુ અધર્મી ગણાશે.

રામકથા કરનાર મોરારીબાપુ ની નિંદા થાય ત્યારે મૌન રહેનાર નિંદા કરનાર થી પણ વધુ અધર્મી ગણાશે

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 09-06-2020 ના રોજ પ્રકાશિત.

લોકો તમારો વિરોધ કરી રહ્યા છે? મતલબ તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. આજકાલ સોશ્યિલ મીડિયા માં એક ફેશન ચાલી છે. મોરારી બાપુ નો વિરોધ કરવાની. એમના વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાની. રામકથા દરમિયાન બાપુ અલ્લાહ શબ્દ બોલે છે, કવ્વાલીઓ ગાય છે. અને ઘણું બધું. એક વિડિઓ મને મળ્યો એમાં શીર્ષક હતું રામકથા ચાલે છે પણ કાંડ કયો? એમાં તો ત્યાં સુધી કહી દીધું કે રામકથા કરવા વાળા સાચી રામ કથા કહેતા જ નથી. અને રામ ને વનવાસ થયો અને સીતા માટે રામ ને રોતા અને સીતે સીતે કરતા હોય એ જ કથામાં કહેવામાં આવે છે.

આવો વિડિઓ બનાવનાર ને તો શરમ ના આવી પણ સત્ય ને જાણ્યા અને સમજ્યા વગર પણ જો આ પ્રકાર ના વિડિઓ આગળ બીજાને આપણે મોકલીએ અને એને જોયા પછી તેનો વિરોધ ના કરવામાં આવે તો તે પણ અધર્મ જ છે. સ્માર્ટ ફોન વાપરવા થી માણસ સ્માર્ટ નથી બની જતો, સમજી વિવેક પૂર્વક કાર્ય કરવામાં આવે તે જ સાચી સ્માર્ટનેસ છે. કટ્ટરતા નો હંમેશા વિરોધ થવો જોઈએ। કટ્ટરતા અને ઝનૂન માણસ ને સત્ય સુધી નથી પહોંચવા દેતું ને સાચો વિચાર નથી આપી શકતું.

આ રીતે નિંદા કરવાથી બાપુ ને કોઈ નુકસાન નથી જ થવાનું, હા રામ તમારા થી ચોક્કસ દુઃખી થશે. આટલા વર્ષો થી બાપુ રામકથા કરે છે , એમની કક્ષા સુધી પહોંચવું એમને સમજવું એ આ નિંદા ટીકાકારો માટે સાત જન્મ માં ય શક્ય નથી. રામકથા એ બાપુ માટે સાધના સમાન છે અને સાધના માં એક સ્થિતિ એવી આવે છે જ્યાં દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક મનુષ્ય એક સમાન લાગવા માંડે. સર્વ ધર્મ સમભાવ ની લાગણી ઉદ્ભવે અને કુદરતી જ રામકથા દરમ્યાન આલ્લાહ કે મૌલા શબ્દ નીકળે તો એમાં નિંદા ને ક્યાં સ્થાન છે? રઘુપતિ રાઘવ રાજા રામ , ઈશ્વવ અલ્લાહ તેરો નામ આ ધૂન આ પ્રાર્થના તો પૂજ્ય ગાંધી બાપુ ની પ્રિય પ્રાર્થના હતી અને આપણે શાળા, મંદિર માં શું આ પ્રાર્થના નથી કરતા? મોરારીબાપુ નો ભાવ સર્વધર્મ સમભાવ નો થયો છે અને એ ફક્ત હિન્દુ ધર્મ ના સંત નથી પણ સમગ્ર વિશ્વ ના સંત છે એવું એમના વ્યક્તિત્વ માં નથી દેખાતું? મોરારીબાપુ અલ્લાહ મૌલા શબ્દ નો ઉચ્ચાર કરે તો ભડકવા ની જરૂર નથી. આના થી હિંદૂ ધર્મ જોખમ માં નથી આવી જવાનો. રામાયણ નું મહત્વ ઓછું નથી થઇ જવાનું.

બાપુ એ રામકથા ને વિશ્વમાં ઘર ઘર સુધી પહોંચાડી છે એની સજા આપણે એમને આપી રહ્યા છીએ? આ રીતે પાછળ પડી જવામાં કયો વિવેક પ્રગટ થઇ રહ્યો છે તે સમજાતું નથી. કદાચ આપણે ભારતીયો પ્રભુ શ્રી રામ ને નથી સમજી શક્યા, તો બાપુ ને શું સમજીશું? નિંદા કે ટીકા કરવાવાળાઓ એ રામાયણ વાંચી હોય અને બાપુ ની કથા નો મર્મ સમજ્યા હોય તો પ્રભુ શ્રી રામ એમનું કલ્યાણ કરે. જયશ્રી રામ.